જિજીવિષાના તળાવે
મૃત્યુ નામનો
કંકર સર્જે વલયો

……………….

વરસાદી વાછંટ
તપ્ત શરીરે
મનને ક્યાંથી બુઝાવે?

……………………….

વાદળિયું આકાશ
વરસી પડે
મન-આકાશ ક્યારે?

………………………..

આશાના તંતુએ જો
લટકી રહ્યો
એષણાઓનો મેળો

…………………………….

ઘનઘોર અંધારે
કિરણ નાનું
બસ થઈ પડે છે

~ નેહલ

Picture courtesy: Pinterest