તું આવે તો સૂરજ ઘરના ટોડલીયે બેસાડું,
ચાંદલીયાના તેજે આખ્ખું આંગણીયું લિંપાવું,
પરસાળે મુકાવું રુડી પતંગીયાની હાર…
હવે તો મળવાનું વિચાર!
……….. … ….. ……
હે યોગેશ્વર! મને નથી જાગીને કૈં પણ જોવું,
બાલસખા, તવ સ્મૃતિપટે કાયમ માટે વિચરવું,
એવું કર કે કદી ન ટોણો મારે મુજને ચિત્ત –
અમથી કીધી પ્રીત!
……… ……. …..
હરિવર, આમ ન અળગી રાખો,
ઉદાસ આંખોમાં ઉછરેલો પ્રેમ જરી તો વાંચો!
હરિવર, આમ ન અળગી રાખો .
નથી મટુકી ગોરસની હું, કે નહિ ગોપી નમણી,
મુજ ગઠરીમાં માત્ર પ્રતીક્ષા છે રાધાથી બમણી.
મને ગમે તું… એમ કહીને સ્હેજ તો હૈયે ચાંપો –
હરિવર, આમ ન અળગી રાખો .
ભલે જીવી છું અણઘડ પણ એ જિવતર તારા ચરણે,
ઘરઆંગણનો છોડ અહિ તો શાલીગ્રામને પરણે !
લાખસવાયા જાપ જપી છું , હવે તમે પણ લાજો,
હરિવર, આમ ન અળગી રાખો .
વાડ વિના ના ચડતો વેલો, સહુનું કહેવું થાતું,
વેલ વિના તો વાડનુ હૈયું રાતદિન કચવાતું,
બનુ હું નાગરવેલ, હરિવર ! તમે અગથિયો થાજો ;
હરિવર, આમ ન અળગી રાખો.
નેહા પુરોહિત
(સંગ્રહ પરપોટાની જાતમાથી )
આભાર નેહલ.
આ રીતે શબ્દો પોંખાતા હોય ત્યારે લખ્યાનો સંતોષ થાય.
LikeLiked by 1 person
You have a long way to go! હજુ વધુ ને વધુ ઉચ્ચ કક્ષાનું સાહિત્ય સર્જન કરતાં રહો એવી શુભેચ્છાઓ!😊
LikeLike