ક્ષર દેહ છોડી અ-ક્ષર દેહસ્વરુપ થયેલા હ્રદયસ્થ શ્રી ચિનુ મોદીને
હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલિ!🌸
છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં,
વૃદ્ધ બનતાં પ્રાપ્ત આ એકાંત, હોં.
કંઈક એ જોઈ ગયો છે ત્યારથી,
ચિત્ત-ચક્ષુ બેય સરખાં શાંત, હોં.
જેમ જળમાં અન્નનો દાણો ફૂલે,
વૃત્તિનું આવું હતું વૃત્તાંત, હોં.
માપસરની વેદના ખપતી નથી,
એ વધે અનહદ તો છે વેદાંત, હોં.
કેટલાં કીધાં જતન ‘ઈર્શાદ’ તેં ?
છેક છેલ્લે તોય છે, દેહાંત, હોં.
– ચિનુ મોદી ( 1939-2017)
વંદન _/_
LikeLiked by 1 person
🌸
LikeLiked by 1 person