ગઝલ – ચિનુ મોદી ‘ઈર્શાદ’

ક્ષર દેહ છોડી અ-ક્ષર દેહસ્વરુપ થયેલા હ્રદયસ્થ શ્રી ચિનુ મોદીને
હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલિ!🌸

છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં,
વૃદ્ધ બનતાં પ્રાપ્ત આ એકાંત, હોં.

કંઈક એ જોઈ ગયો છે ત્યારથી,
ચિત્ત-ચક્ષુ બેય સરખાં શાંત, હોં.

જેમ જળમાં અન્નનો દાણો ફૂલે,
વૃત્તિનું આવું હતું વૃત્તાંત, હોં.

માપસરની વેદના ખપતી નથી,
એ વધે અનહદ તો છે વેદાંત, હોં.

કેટલાં કીધાં જતન ‘ઈર્શાદ’ તેં ?
છેક છેલ્લે તોય છે, દેહાંત, હોં.

– ચિનુ મોદી ( 1939-2017)

Gujarati_author_Chinu_Modi

2 thoughts on “ગઝલ – ચિનુ મોદી ‘ઈર્શાદ’

Comments are closed.