પોતાને અશબ્દની યાત્રાએ નીકળેલા યાત્રી ગણાવતા આ કવિ ના શબ્દો આપણને પશ્યંતીની પેલે પાર પરાવાણી, પરમ આનંદ કે શબ્દબ્રહ્મ ની અવસ્થામાં દોરી જાય છે.
……..
તું નર્યા આનંદની કરજે સખાવત,
એક પળમાં થઈ જશે એની ઈબાદત.
આ તરફ, પેલી તરફ ખેંચી રહ્યાં છે,
બે ધ્રુવોની અધવચાળે હું યથાવત.
તેજ છોડીને પ્રવેશું હું તમસમાં,
ઝરમરે ત્યાં એ જ, કોઈ ક્યાં તફાવત?
આ સમયની સાદડી સંકેલ, સાધુ;
શેષ ના રે’શે કશું આગત-અનાગત.
આ જગત પણ ગીત જેવું થઈ જવાનું,
છોડ સઘળાં સાજ ને સાંભળ અનાહત.
– જાતુષ જોશી ( પશ્યંતીની પેલે પાર…)